આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામના અમૃત સરોવર ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત શિલાફલકમ, વીર વંદના, પંચ પ્રાણપ્રતિજ્ઞા, વસુદા વંદન અને રાષ્ટ્ર વંદનના કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મુક્તાબેન પરમાર, સરપંચ શ્રીમતી ભાનુબેન ધોળકિયા, આગેવાન હરિભાઈ પરમાર, રવજીભાઈ ધોળકિયા, ગ્રામ પંચાયતના સદસ્યો, તલાટી મંત્રી અજય રાજ્યગુરુ, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મારી માટી મારો દેશ અભિયાનમાં જોડાયા હતા.
હાથમાં દિપક પ્રગટાવી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અથાગ પરિશ્રમ કરીશું, ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીશું, આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ લઈશું અને તેનું જતન કરીશું, આપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કામ કરીશું, રાષ્ટ્ર પ્રત્યેની અમારી અતૂટ ફરજો પુનઃપુષ્ટિ કરી પાલન કરીશુંની પ્રતિજ્ઞા લીધી હતી અને ગામ તળે બનેલા અમૃત સરોવર ખાતે ૭૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.


