મકસુદ કારીગર,કઠલાલ
અપ્રુજી ગ્રામપંચાયતના વી.સી.ઈ ને ન્યાય આપવા બાબતે કઠલાલ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યો. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અપ્રુજી ગ્રામપંચાયતમાં વી.સી.ઈ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ સૂરસિંગ સોલંકીને તા.૨૧/૭/૨૦૨૩ ના રોજ ગ્રામપંચાયતના લેટર પેડ પર છુટા કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.જ્યારે આ બાબતે અગાઉ તા.૨૬/૭/૨૦૨૩ ના રોજ તાલુકાના તમામ વી.સી.ઇ ઓ દ્વારા ભેગા મળીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ નિકાલ આવ્યો નથી જેથી આ બાબતે જલ્દી યોગ્ય નિકાલ આવે અને વી.સી.ઇ ને છુટા કરવામાં ના આવે તેવો ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.


