બહાઉદીન વિનયન કોલેજ જૂનાગઢ ખાતેના એનએસએસ સેલ તથા મનોવિજ્ઞાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત વિજાપુર ગામે વસુધા વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજાપુર ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત અભિયાન માટે ગામ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના સફળ આયોજન બદલ કોલેજના આચાર્યશ્રી દ્વારા એનએસએસ કોડીનેટર શ્રી ડો. હાર્દિક રાજ્યગુરુ તથા મનોવિજ્ઞાન વિભાગના ડો. ભાવના ઠુંમરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા


