ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણીઓને અનુલક્ષીને મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા કરાવવા અને નામ કમી કરવા માટેનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે તા.૧લી જાન્યુઆરી, ૨૦૨૪ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.૧લી જાન્યુઆરી, ૨૦૨૪ની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓ અને ફોટા સાથેની મતદારયાદીને આખરી કરવા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે
આ કાર્યક્રમ અન્વયે મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રિ- રિવિઝન એકટીવીટી હેઠળ બુથ લેવલ ઓફિસર (મ્ન્ર્ં)ને ફાળવવામાં આવેલા ભાગમાં સમાવિષ્ટ દરેક ઘરની (ૐર્ેજી ર્ં ૐર્ેજી) મુલાકાત લેવામાં આવશે.આ માટે મ્ન્ર્ં તા.૨૧મી જુલાઇથી ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં પોતાને ફાળવવામાં આવેલ વિસ્તારમાં ઘરે ઘરે જઇને મતદારોની વિગતો એકત્રિત કરશે.
. આ કાર્યક્રમ હેઠળ તા.૨૧મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં મ્ન્ર્ં દ્વારા ૧.૭૯ લાખથી વધુ ઘરોની મુલાકાત લઇને વિગતો એકત્ર કરવામાં આવશે.મ્ન્ર્ં દ્વારા ઘરોની મુલાકાત દરમ્યાન નિયત નમૂનામાં ફોર્મમાં અરજીઓ મેળવવામાં આવશે.ખાસ કરીને તા.૧લી જાન્યુઆરી,૨૦૨૪ની લાયકાતની તારીખે લાયક હોય અને મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા તમામ નાગરિકો પાસેથી ફોર્મ નં.૬ ભરાવીને મેળવવામાં આવશે.મતદારોની વિગતો ચકાસીને જાે મતદારો સુધારા સૂચવે તો તેવા મતદારો પાસેથી ફોર્મ નં.૮ મેળવવામાં આવશે,મતદારોની ખરાઇ દરમ્યાન એક કરતાં વધુ વખત નામ દાખલ થયું હોય, કાયમી સ્થળાંતર કર્યું હોય કે અવસાન થયાના કિસ્સામાં ફોર્મ નં.૭ મેળવવામાં આવશે.તા.૧લી ઓકટોબર,૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવાનોની વિગતો મેળવી યાદી તૈયાર કરવામાં આવશે. નવા અસ્તિત્વમાં આવેલા સોસાયટી/એપાર્ટમેન્ટકે જેનો સમાવેશ મતદારયાદીમાં ન થયો હોય તો તેની યાદી તૈયાર કરીને મ્ન્ર્ં /સુપરવાઇઝર દ્વારા તેની સ્થળ ઉપર જઇ મુલાકાત કરીને ખરાઇ કરવામાં આવશે. ત્યારબાદ મતદાર નોંધણી અધિકારી દ્વારા મંજૂરી મળ્યેથી મ્ન્ર્ં દ્વારા આ સોસાયટી/એપાર્ટમેન્ટના દરેક ઘરની મુલાકાત કરીને લાગુ પડતા કિસ્સામાં ફોર્મ નં.૬, ફોર્મ નં.૮ મેળવવામાં આવશે.
એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે અને ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય તે માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ શરૂ થાય તે પૂર્વે આગામી તા.૨૧ જુલાઈથી રાજ્યભરમાં હાથ ધરવામાં આવનાર હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરીને અનુલક્ષીને રાજ્યભરના મ્ન્ર્ં અને સુપરવાઈઝર્સને ઈ-માધ્યમ થકી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
ફૂટ સોલ્જર્સ ઑફ ઈલેક્શન તરીકે ઓળખાતા બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સ ચૂંટણી તંત્રનું સૌથી મહત્વનું અંગ છે. તેમની કામગીરીને વધુ સુદ્રઢ અને સરળ બનાવવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા સમયાંતરે તેમને જરૂરી તાલીમ આપવામાં આવે છે. આગામી તા.૨૧ જુલાઈથી રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવનાર છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુટ ઑફ સ્પેસ ઍપ્લિકેશન એન્ડ જીઓ-ઈન્ફોર્મેટીક્સ (મ્ૈંજીછય્) ના સંકલનથી જીછ્-ર્ઝ્રંસ્ એટલે કે સેટેલાઈટ કમ્યુનિકેશનના માધ્યમથી રાજ્યભરના ૫૧,૭૮૧ બુથ લેવલ ઑફિસર્સ અને આશરે ૫,૦૦૦ જેટલા સુપરવાઈઝર્સને મતદારયાદી સુધારણા અને મ્ન્ર્ં ઍપ્લિકેશન અંગે વિસ્તૃત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગત વર્ષથી મતદાર તરીકેની લાયકાતની તારીખમાં સુધારો કરવામાં આવેલ હોવાથી હવેથી વર્ષમાં ચાર વાર મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવાની તક મળે છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા બુથ લેવલ ઑફિસર્સને હાઉસ ટુ હાઉસ સરવે દરમ્યાન તા.૦૧/૧૦/૨૦૨૩ના રોજ લાયકાત ધરાવતા પણ નોંધાયેલા ન હોય તેવા નાગરિકોના ફોર્મ મેળવવા અને તા.૦૧/૧૦/૨૦૨૪ સુધીમાં જે નાગરિકો ૧૮ વર્ષ પૂર્ણ કરનાર છે તેવા સંભવિત મતદારોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ મૃત્યુ પામેલા તથા કાયમી સ્થળાંતર કરનાર મતદારો અંગે નિયમાનુસાર કાર્યવાહી કરવા અંગે તાલીમ આપવામાં આવી હતી..
