લીલીયામાં કેળવણી મંડળ સંચાલિત અમૃતબા વિદ્યાલયમાં 77માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી મનસુખભાઈ ચોપડાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. અમૃતબા વિદ્યાલય અને શાંતાબેન કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. શાળાના આચાર્ય હસમુખભાઈ કરડે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ તકે સંચાલન મંડળના ટ્રસ્ટી અરૂણભાઈ પટેલ, મગનભાઈ વિરાણી, માવજીભાઈ લહેરી, ધીરૂભાઈ ઉમરેઠીયા, બાબુભાઈ ધામત સહિતના અગ્રણીઓ તેમજ બન્ને શાળા ના શિક્ષકગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


