મકસુદ કારીગર,કઠલાલ
હાલમાં અધિકમાસ ચાલી રહ્યો છે ત્યારે કઠલાલમાં ઉમાભવન ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની નારી શક્તિ દ્વારા ભજન તેમજ અધિક માસ નિમિત્તે પ્રભુ ભક્તિના અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં તારીખ 7 /8 /2023 થી તારીખ 13 /8 /2023 સુધી શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ નું આયોજન બહેનો દ્વારા કરવામાં આવેલ છે આ કથાનું રસાસપાન વ્યાસપીઠ ઉપરથી યુવાન શાસ્ત્રી સૌરભભાઈ હિતેશકુમાર જોશી દ્વારા કરાવવામાં આવશે.


