ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે એમએસ ધોની એક કોર્ટ સંબંધિત કેસને લઈને ચર્ચામાં છે. એક IPS અધિકારીએ ધોની પર કેટલાક આરોપો લગાવ્યા હતા, જેને લઈને સ્જીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને હવે કોર્ટે તે અધિકારીને જેલની સજા ફટકારી છે. બાર એન્ડ બેંચના અહેવાલ મુજબ, મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે આઈપીએસ અધિકારી સંપત કુમારને ૧૫ દિવસની જેલની સજા સંભળાવી છે. કોર્ટની અવમાનનાના આરોપમાં આ સજા આપવામાં આવી છે. જાે કે, અધિકારીને તાત્કાલિક જેલમાં મોકલવામાં આવશે નહીં કારણ કે કોર્ટે તેને જવાબ દાખલ કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે. વાસ્તવમાં એમએસ ધોનીએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
જેમાં તેણે એક મીડિયા ચેનલ, એક અધિકારી અને અન્ય કેટલાક લોકો પર ખોટા આરોપો લગાવવાની વાત કરી હતી. ધોની પર ૨૦૧૩ના ફિક્સિંગ સાથે જાેડાયેલા કેસમાં તેનું નામ ખેંચવાનો આરોપ હતો.. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટને કોર્ટમાં અપીલ કરી હતી કે આ મામલે કોઈએ પણ તેના પર વધુ પાયાવિહોણા આરોપો ન લગાવવા જાેઈએ, કોર્ટે પણ આવો જ આદેશ આપ્યો હતો. જે બાદ IPS અધિકારી સિવાય બધાએ કોર્ટના આદેશનો સ્વીકાર કર્યો. હવે ફરી એકવાર ધોનીની ટીમ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું કે તે મામલામાં અધિકારીઓ હજુ પણ ખોટા આરોપો લગાવી રહ્યા છે, ત્યારબાદ હવે આ ર્નિણય સામે આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ વર્ષ ૨૦૨૦માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આઈપીએલ ૨૦૨૪માં તે છેલ્લી વખત મેદાનમાં જાેવા મળી શકે છે. એમએસ ધોનીને છેલ્લી સિઝન દરમિયાન ઘૂંટણની સમસ્યા હતી પરંતુ આશા છે કે તે આ વખતે પણ મેદાનમાં આવશે. હાલમાં જ આઈપીએલની તમામ ટીમોએ ખેલાડીઓની રિટેનર લિસ્ટ જાહેર કરી હતી, જેમાં એમએસ ધોનીને પણ રિટેઈન કરવામાં આવ્યો હતો.

