Gujarat

સુરતના ઓએનજીસી બ્રિજ પર ફરી એક વખત જહાજ ટકરાયું

સુરત
સુરતના ઓએનજીસી બ્રિજ પર ફરી એક વખત જહાજ બ્રિજ સાથે ટકરાયું હોવાની ઘટના સામે આવી છે. કોલસા ભરેલું જહાજ બ્રિજ સાથે ટકરાયું હતું. જાે કે બ્રિજને કોઈ નુકશાન પહોંચ્યું નહોતું અને મોટી જાનહાની ટળી હતી. સુરતના હજીરા અને ઓએનજીસી પાસે દરિયા કિનારે મોટા જહાજાે આવતા હોય છે. ત્યારે આજે સુરતના ઓએનજીસી બ્રિજ પર કોલસા ભરેલું મોટું જહાજ બ્રિજ સાથે ટકરાયું હતું. અગાઉ પણ મોટા જહાજ બ્રિજ સાથે ટકરાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી ચુકી છે. ત્યારે આજે ફરી એક વખત કોલસા ભરેલું જહાજ બ્રિજ સાથે ટકરાયું હતું. કોલસા ભરેલું જહાજ પાણીના વહેણમાં તણાઈને બ્રિજના પિલર સાથે ટકરાયું હોવાની માહિતી મળી હતી.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *