બિપરજોય વાવાઝોડાના કારણે જામનગર શહેરી વિસ્તારમાં 26 જેટલા મોટા વૃક્ષો ધરાશાયી થયાં છે
જ્યારે 400 થી વધુ ડાળીઓ તૂટી જવા પામી છે.ત્યારે આ પડી ગયેલા વૃક્ષોને કારણે શહેરનો કોઈ માર્ગ ન અવરોધાય કે કોઈ
નાગરિકને ક્ષતિ ન થાય તે માટે ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, મહાનગરપાલિકા વગેરે દ્વારા આધુનિક સાધનો
સાથેની અનેક ટીમો ફિલ્ડ પર સતત કાર્યરત છે અને વરસતાં વરસાદમાં પણ નિરંતર અવરોધરૂપ વૃક્ષો દૂર કરવાની કામગીરી કરી
રહી છે.
000000
