Gujarat

પેઇન્‍ટીંગ વર્કશોપ ભાગ લેવા માંગતા હોય તેમને તા.૨૧ જુલાઈ સુધીમાં અરજી કરવી

ગુજરાત રાજય લલિતકલા અકાદમીઅમદાવાદ અને જિલ્‍લા યુવા વિકાસ અધિકારીજુનાગઢ દ્રારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ચિલ્‍ડ્રન પેઇન્‍ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે.

                     રમતગમતયુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે એક ચિલ્‍ડ્રન પેઇન્‍ટીંગ વર્કશોપનું આયોજન કરેલ છે. જેમાં ૬ થી ૧૪(જન્મ તા. ૩૧/૧૨/૨૦૩ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઈ શકશે. જે બાળકો આ પેઇન્‍ટીંગ વર્કશોપ ભાગ લેવા માંગતા હોય તેમને તા.૨૧/૦૭/૨૦૨૩ના રોજ બપોરના ૧૨-૦૦ વાગ્‍યા સુધીમાં જિલ્‍લા રમત ગમત અધિકારીની કચેરીબ્‍લોક નં. ૧/૧બહુમાળી ભવનસરદારબાગજુનાગઢ ખાતે જરૂરી પુરાવા (આધારકાર્ડ) સાથે અરજી કરાવાની રહેશે. જેના ફોર્મ ફેસબુક આઇ.ડી. Dso JunagadhCity પરથી મેળવી શકાશે. અરજી કરેલ બાળકોને વર્કશોપના સમય અને સ્‍થળની જાણ કરવામાં આવશે.  એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *