Gujarat

આજે પૂનમ અને રક્ષાબંધન પર્વ  નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ દાદાને સિલ્ડાવર-ડાયમંડના વાઘાના શણગાર એવં નાળિયેરીના પાંદનો દિવ્ય શણગાર                      

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ પવિત્ર રક્ષાબંધન પર્વ  તા:31-08-2023 ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને સિલ્ડાવર-ડાયમંડના વાઘાના શણગાર એવં નાળિયેરીના પાંદનો ભવ્ય શણગાર  કરવામાં આવેલ એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા  તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના દ્વારા કરવામાં આવેલ.નાળિયેરી પૂનમ – રક્ષાબંધન પર્વ  નિમિત્તે સાંજે 05:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવેલ.દાદાને વિવિધ વાઘનો શણગાર,ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, સાંજે 07:૦૦ કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી કરવામાં આવેલ, હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Picsart_23-08-31_09-18-26-620.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *