મકસુદ કારીગર,કઠલાલ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માતમાં ૧૦ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ખૂબ જ દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અવસાન પામેલ ૧૦ વ્યક્તિઓને કઠલાલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કઠલાલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ કઠલાલ નગરની કુબેરજી વાડી ખાતે સૌને ભગવાન રામચંદ્ર સદગતના આત્માને ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


