નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે મેદાન પર એવું કંઈક કરવા જઈ રહી છે જે પહેલાં ક્યારેય જાેવા મળ્યું નથી. ખરેખરમાં ટીમ ઈન્ડિયા આગામી ટૂર્નામેન્ટમાં જે જર્સી પહેરશે તેના પર પાકિસ્તાનનું નામ લખેલું હશે. ટીમ ઈન્ડિયાને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પાકિસ્તાન દ્વારા આયોજિત થનારા એશિયા કપમાં રમવાનું છે. ભારતીય ટીમની આ ટૂર્નામેન્ટ માટે બનાવવામાં આવેલી જર્સી સામે આવી છે. જર્સી પર પાકિસ્તાન લખેલું જાેઈને ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. ભારતીય ટીમ આખરે પોતાની ટી-શર્ટ પર પાકિસ્તાન લખેલી જર્સી કેમ પહેરશે? ખરેખરમાં અમે તમને જણાવી દઇએ કે આ મામલો શું છે. પાકિસ્તાન એશિયા કપની યજમાની કરી રહ્યું છે અને આ કારણોસર દરેક ટીમની જર્સી પર પાકિસ્તાન ૨૦૨૩ લખવામાં આવશે. આઇસીસી હોય કે એસીસી ટૂર્નામેન્ટની યજમાની કરનાર દેશનું નામ ઈવેન્ટના નામ સાથે લખવામાં આવે છે. એશિયા કપની સાથે પાકિસ્તાન ૨૦૨૩ લખવામાં આવશે. ટુર્નામેન્ટમાં રમનારી તમામ ટીમોની જર્સી પર આ લખેલું હશે. એશિયા કપ અગાઉ પાકિસ્તાનમાં યોજાવાનો હતો પરંતુ બીસીસીઆઈએ પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આ ર્નિણય બાદ ઘણો હોબાળો થયો હતો પરંતુ અંતે પીસીબીએ શ્રીલંકા સાથે ટૂર્નામેન્ટ શેર કરવી પડી હતી. એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં ૩૦ ઓગસ્ટથી ૧૭ સપ્ટેમ્બર સુધી રમાશે. પાકિસ્તાન માત્ર ૪ મેચની યજમાની કરી શક્યું છે. ૧૩ મેચોમાંથી ૯ મેચ શ્રીલંકામાં રમાશે. ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે. ટૂર્નામેન્ટની શરૂઆત એશિયા કપમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની મેચથી થશે. ભારતીય ટીમ એશિયા કપમાં ૨ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમવાની છે. ચાહકો બંને ટીમો વચ્ચે જાેરદાર મુકાબલાની અપેક્ષા રાખી રહ્યા છે. દરેક વ્યક્તિ ભારત અને પાકિસ્તાનની ફાઈનલની પણ રાહ જાેઈ રહ્યા છે.


