આગામી દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૦૫/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા તાલીમ કેન્દ્ર,પોલીસ હેડ ક્વાર્ટર, અમરેલી ખાતે વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવનાર છે.
તારીખ ૦૫/૦૧/૨૦૨૩ ના રોજ યોજનાર લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકોએ પોતાની રજૂઆત લેખિત અરજીના રૂપે લાવવાની રહેશે. આ વ્યાજખોર વિરુદ્ધ યોજનાર લોકદરબાર અંગે વધુ માહિતી મેળવવા નાગરિકો અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ૦૨૭૯૨-૨૨૩૪૯૮ પર સંપર્ક કરી શકે છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


