Gujarat

ઉડાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કીરીટભાઈના માર્ગદર્શન હેઠળ ખેલ ગાંવ ન્યૂ દિલ્હીમાં ઉડાન રાષ્ટ્રીય રમત સ્પર્ધાઓનું આયોજન.  

અમદાવાદ: જો આપણે એક ક્ષણ માટે  ઈતિહાસ પર નજર નાખીએ અથવા કોઈ પણ સફળ વ્યક્તિના જીવન પર પ્રકાશ ફેંકીએ તો આપણે જોઈ શકીએ છીએ કે નામ, પ્રસિદ્ધિ અને પૈસા સરળતાથી મળતા નથી. તેના માટે દ્રઢતા, નિયમિતતા, ધૈર્ય અને સૌથી અગત્યની કેટલીક શારીરિક પ્રવૃત્તિઓ એટલે કે સ્વસ્થ જીવન અને સફળતા માટે વ્યક્તિનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા માટે રમતગમત એ શ્રેષ્ઠ માર્ગ છે. કોઈપણ વ્યક્તિની સફળતાનો આધાર માનસિક અને શારીરિક ઉર્જા પર હોય છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ માટે પરમ આદરણીય ડૉ. કીરીટભાઈ સોલંકીના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ “ઉડાન” સંસ્થાની સ્થાપના કરી છે. તેમણે સમાજના વિકાસ માટે અનેક વિકાસના પ્રોજેક્ટ નક્કી કર્યા છે. તેમાંથી એક SC/ST બાળકોને રમતગમત દ્વારા શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવવા અને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવાનો છે.
       1લી જૂન 2023 થી 10મી જૂન 2023 સુધી, ખેલ ગાંવ, નવી દિલ્હી ખાતે જ્યાં કોમન વેલ્થનું આયોજન કરવામાં આવ્યું હતું. તે મહાન સ્થળે ઉડાન સંસ્થા દ્વારા “ઉડાન રાષ્ટ્રીય રમત સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના આયોજનનો મુખ્ય હેતુ SC/ST બાળકોને એકબીજાની નજીક લાવવા એકબીજાની ઓળખાણ વધારવા અને સ્વસ્થ અને માનસિક રીતે મજબૂત બનાવવાનો છે. ઉડાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ.કીરીટભાઈ સોલંકીએ ખેલ ગાંવમાં આયોજિત આ સ્પર્ધાની સમગ્ર જવાબદારી રમત જગતની મહાન પ્રતિભા શ્રીમતી ટીના કિષ્ણા દાસ (કેરળ)ને સોંપી છે. આ સ્પર્ધામાં ભારતના 780 જિલ્લાઓની ટીમો રમતગમત સ્પર્ધામાં ભાગ લેશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિભાશાળી ખેલાડીઓને ભારત સરકારના ખેલ મંત્રીશ્રી અનુરાગ ઠાકુર અને અન્ય વરિષ્ઠ મંત્રીઓ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પી .ટી . ઉષા ,   રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય રમતગમતની દુનિયાના જાણીતા ખેલાડીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
રિપોર્ટર સંજીવ રાજપૂત

IMG-20230323-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *