Gujarat

ઉનાના ડમાસાના શહીદ લાલજીભાઇના સ્મરણાર્થે શહીદ સમારકનું નિમાર્ણ તેમજ શહીદ માર્ગ અનાવરણ કરાયુ..

ઉનાના ડમાશા ગામે રહેતા અને અરૂણાચલ પ્રદેશમાં ફરજ બજાવતા આર્મી જવાન લાલજીભાઈ કે બાંભણિયાનું તા. 22 નવે.2022
નાં ફરજ પર વિર જવાન શહીદ થઇ ગયા હતા. આ આર્મી જવાનનું પોતાના ગામ ડમાશા થી નજીક ઊના-વેરાવળ નેશનલ હાઇવે
રોડ પર આવેલ કેસરિયા ગામ પાસે ઓવરબ્રિજ નીચે શહીદ લાલજીભાઇ બાંભણીયાના સ્મરણાર્થે શહીદ સમારકનું નિમાર્ણ તેમજ
શહીદ માર્ગ નામ આપી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ શહીરના નામે માર્ગ અનાવરણ કાર્યક્રમમાં આર્મી ગ્રુપ તેમજ શહીદ
લાલજીભાઇના પરીવારજનો તેમજ ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહી અને શહીદ લાલજીભાઇને ફુલહાર તેમજ વિધીવત
શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. આ તકે આર્મી ઓફીસર જગદીશભાઈ બાંભણીયા એ જણાવેલ કે લાલજીભાઇના સ્મરણાર્થે
શહીદ સમારકનું નિમાર્ણ કર્યુ છે. અને જે કોઇ લોકો આર્મી જવાનોનું હંમેશા સંન્માન કરતા રહે અને આ સ્મરણાર્થે કેસરીયા થી
ડમાશા ગામ સુધીના રોડને પણ શહીદ લાલજીભાઇ માર્ગ નામ આપવામાં આવ્યુ છે.

IMG-20230325-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *