ગામમાં સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજ દ્રારા ૧૭ મો સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૧૨ નવદંપતિએ પ્રભુતામાં
પગલા માંડ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો અને યુવાનો સમુહ લગ્નના આયોજનને સફળ બનાવવ તન મન અને ધનથી
સહયોગ આપ્યો હતો. અને આ પ્રસંગે સમાજમાં કુરીવાજો ખતમ કરવા, ખોટા ખર્ચ ઉપર કાબુ રાખવા, સ્વદેશી વસ્તુ અપનાવવા,
વ્યસન મુક્તિ અને ભણતર પર ભાર મુકવા વડીલો અને શિક્ષીત યુવાનો દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ સમુહ લગ્નમાં
સમાજના આગેવાનો યુવાનો સહીત ઉપસ્થિત રહ્યા હતા.


