રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટબેંક ઓફ ઇંડીયાની ગરાળ બ્રાન્ચ નવા કાર્યાલયનો શુંભારંભ એસબીઆઇની વેરાવળ આતે આવેલી રીજીયોનલ
ઓફીસના વડા એજીઆમ શશીકુમારના હસ્તે શાખાના મેનેજર સુનિલકુમાર સ્ટાફ અને ગ્રામજનોની ઉપસ્થિતીમાં વિડીયો
કોન્ફરન્સથી કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગ્રાહકોનું અભિવાદન કરી જણાવેલ કે ઉના તાલુકાના અંતરીયાળ વિસ્તાર ગરાળ અને
આસપાસના ગ્રામજનો માટે અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ ગરાળ બ્રાન્ચ ડીજીટલ બેંકીંગ અને અન્ય સંલગ્ન સેવાઓ
આપવા માટે કટીબધ્ધ અને પ્રતિબધ્ધ છે. આ પ્રસંગે ઉપસ્થિત સરપંચ મનુભાઇ રામશીભાઇ સોલંકીની નવી બ્રાંન્ચ આવવાથી બેંકના
વિશાળ બેંકિંગ નેટવર્કનો લાભ થશે. ગ્રામજનોએ આનંદની લાગણી સાથે આભાર વ્યક્ત કરેલ..


