ઊના શહેરમાં રહેતા શરદભાઇ ડાયાલાલ દવે તલાટી કમ મંત્રી તરીકે રામપરા તેમજ જાખરવાડા ગ્રામ પંચાયતમાં સને ૧૯૮૩ થી
સને. ૨૦૦૩ સુધી નોકરીમાં ફરજ બજાવી હતી. આ નોકરી સમય દરમ્યાન તેઓના હિતસત્રુઓ દ્રારા ખોટી માહીતી આપીને તેમની
સામે આઇ પી સી કલમ ૪૭૭ (ક), ૪૬૫, ૪૬૬, ૪૭૦, સને૨૧૮ મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગેનો
કેઇસ ઉના નામદાર અદાલતમાં તેમના સામે ફો.કે.નં.૩૮૭/૨૦૦૭થી ચાર્જશીટ તૈયાર થયેલ અને આ કેસ ચાલી જતાં ઉનાની નામ.
એડી. ચીફ. જ્યુ. કોર્ટના કે એન પટેલે ગત તા.૧૪ માર્ચ ૨૦૨૩ ના રોજની નિર્દોષ ઠરાવીને મુક્ત મુકવામાં આવેલ છે. આ કેઇસમાં
શરદભાઇ દવે તર્ફે તેમના વકીલ તરીકે એમ એ નકવી, તેમજ એમ એમ નકવી રોકાયેલા હતા. આ કેશના કામે માખરે સત્યની જીત
થયેલી છે.
