Gujarat

ઓદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા.13 ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

ઓદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા. 13-2-2023 ના રોજ સવારે
10:30 કલાકે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ
ખાનગી ક્ષેત્રના નોકરી દાતા ઉપસ્થિત રહેનાર છે. તેમના દ્વારા સ્થળ પર જ ઉમેદવારની પસંદગી
કરવામાં આવશે. જે ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લઇ રોજગારી મેળવવા ઇચ્છુક હોય તેઓએ
પોતાના શૈક્ષણિક લાયકાત, બાયોડેટા, ફોટોગ્રાફ તેમજ અનુભવના પ્રમાનપત્રોની નકલો સાથે આઈ. ટી.
આઈ, સેમિનાર હૉલ ચોથો માળ જામનગર ખાતે ઉપસ્થિત રહેવા ઓદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની
યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *