કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ તા.૨૦મે ના રોજ દ્વારકા ખાતે આયોજિત વિવિધ
કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે આવતીકાલે રાત્રે ૧૦:૩૦ કલાકે તેઓ જામનગર આવી પહોંચશે. અને સર્કિટ હાઉસ ખાતે
રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે ૧૧:૦૦ કલાકે હેલિકોપ્ટર મારફતે દ્વારકા જવા માટે રવાના થશે. ભગવાન દ્વારકાધીશના દર્શન
કર્યા બાદ તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહશે ત્યારબાદ જામનગરથી તેઓ અમદાવાદ જવા રવાના થશે.
