Gujarat

જામનગરમાં આગામી તા. 7 મે ના તલાટીની પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

જામનગર જિલ્લામાં આગામી તા. 7 મે ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા
તલાટી મંત્રી સંવર્ગની લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષા દરમિયાન તેજસ્વી વિધ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ
થવાની સંભાવના રહે છે. તેમજ પ્રશ્નપત્રો અને તૈયાર ઉત્તરોની કોપી ઝેરોક્સ/ કોપીયર મશીન દ્વારા મેળવીને અને
પરીક્ષાખંડમાં મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીઓને મદદ થતી હોવાથી તેજસ્વી વિધાર્થીઓને અન્યાય થતો અટકાવવો જરૂરી છે.
તે માટે, જામનગર જિલ્લાના નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટર વિસ્તારની હદમાં
આવેલા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, અંગત વપરાશકર્તાઓએ આગામી તા. 07/05/2023ના
રોજ સવારના 09:00 કલાકથી બપોરના 03:00 કલાક સુધી કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની
નકલો કાઢવી નહીં.
તેમજ, પરિશિષ્ટ મુજબના નિર્ધારિત કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લ્યુ ટુથ,
ઈયર ફોન, કેમેરા, લેપટોપ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક વોચ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અનાધિકૃત સાહિત્ય, પુસ્તકો
કે વસ્તુઓ સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા
જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
તેમજ, પરિશિષ્ટ મુજબના નિર્ધારિત કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રોના આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં બપોરના
12:00 કલાકથી 01:30 કલાક સુધી કોઈએ અંદર પ્રવેશ કરવો નહિ કે ત્યાં એકઠા થવું નહિ.
ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 હેઠળ સજાને પાત્ર
થશે. કોપીયર મશીન માટેનો પ્રતિબંધાત્મક હુકમ સરકારી, અર્ધસરકારી અને જાહેર સાહસો સિવાયના કોપીયર મશીન
વપરાશકર્તાઓને લાગુ પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *