|
|
|
પેટા
ચેમ્બર, બાર એશો. અને શહેર વિકાસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ વંટોળ ઉઠાવાયો : ડામ સમા રાક્ષસી વધારાને કોઈ કાલે અમલી બનવા નહિ દેવાય !
જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા આગાઉ મિલકત તબદીલી ફીમાં આંખો ફાટી જાય તેવા સૂચવેલા ફી વધારા બાબતે અખબારો જાહેરાતો પ્રસિદ્ધ કરાવી હતી. તે બાબતે સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સના કાર્યવાહકો, જેતપુર બાર એશો. અને શહેર વિકાસ સમિતિએ વાંધો ઉઠાવી તેઓને સાંભળવાની માંગ કરી હતી.
તે અંગે એટલે કે વાંધા સાંભળવા માટે આજે બોલાવાયેલી બેઠક દરમિયાન પાલિકાનું શાસન સંભાળતા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા તમામ આગેવાનોને શાંત ચિતે સાંભળી આ બાબતે ઉચ્ચ કક્ષાની કચેરીને વાકેફ કરી કોઈ સુચારું નિવેડો લેવાની ખાતરી આપી હતી. આજની બેઠક દરમિયાન ચેમ્બર કોમર્સના પ્રતિનિધિ હરેશ ગઢીયા, શહેર વિકાસ સમિતિના સંયોજક મનોજ પારઘી અને બાર એશો. ના વકીલમિત્રોએ મિલકત તબદીલ ફી વધારામાં સૂચવાયેલા તોતિંગ વધારાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ એકીસુરે કહ્યું કે, નગરપાલિકામાં જેઓને સારી આશા સાથે ચુંટીને મોકલ્યા તેવા સુધરાઇ સભ્યોએ પોતાની ટર્મ પૂરી થઈ જતા ટર્મના છેલ્લા જનરલ બોર્ડમાં પ્રજાની ઉંઘ હરામ થઈ જાય તેવો ઠરાવ કરીને વિવાદના બીજ રોપી દીધા હતા.
જો કે વાંધા અરજી ધ્યાને લઈને આ બાબતે રૂબરૂ સાંભળવાની આજે રૂબરૂ તક અપાઈ હતી. ઉપસ્થિત આગેવાનોએ કહ્યું કે
અગાઉ મિલ્કત તબદીલી ફી રૂા.૨૫૦/- હતી. તેમાં વધારો કરીને રહેણાંક હેતુ માટે રૂ।. ૨,૦૦૦/-, ખુલ્લા પ્લોટ માટે રૂ।. ૩,૦૦૦/-અને બીન રહેણાંક માટે રૂ।. ૪,૦૦૦/- ફીની રકમ નોટિસમાં બતાવાઈ હતી. અને દર બે વર્ષે ૧૦% નો વધારો કરવાનું જણાવ્યું હતું. તે ઉપરાંત મિલકત તબદિલ થયાના ૯૦ દિવસમાં જો મિલકત તબદીલી કાર્યવાહી પૂર્ણ કરવામાં ન આવે તો ૫૦૦ રૂપિયા પેનલ્ટી વસુલવાનો ઠરાવ સંબંધિતોએ પસાર કર્યો હતો. પણ આવો રાક્ષસી ફી વધારો કોઈ કાળે અમલી બનવા નહીં દેવાય તેવી આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.
|
