30 દિવસ મા જો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા મા નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
રાજુલા તાલુકાના વાવેરા ગામે ગેરકાયદે ગૌચર જમીન પર માથા ભારે તત્વો દ્વારા કબ્જો કરી ને ગેરકાયદે બાંધકામ કર્યુ છે તે દુર કરવા મા આવે વાવેરા પેટ્રોલ પંપ ની બાજુમાં હોડ દ્વારા ગેરકાયદે રીતે તળાવ બુરી ને ઇંટો ના ભઠ્ઠા ઓ કર્યા છે ત્યારે વાવેરા ગામ નુ ખુબ મહત્વ નુ આ તળાવ છે જેમાં ઇંટો ના ભઠ્ઠા કરીને બે વિધા જેટલું તળાવ બુરી દેવામાં આવ્યુ છે અને ચાર થી પાંચ મકાન પણ ગેરકાયદે બાંધવા મા આવ્યા છે તે મકાન પણ ઈંટો ના ભઠ્ઠા વાળા દ્રારા બનાવામા આવ્યા છે અને ઈંટો ના ભઠ્ઠાની સામે ની સાઈડ મા રોડ ટચ ની બે થી ત્રણ વિધા જમીન પર પ્રતાપભાઈ દરબાર નામના એક વ્યક્તિએ એક મકાન બનાવી ફરતું તાર ફેન્સિંગ કરવામાં આવ્યું છે તે પણ ખુલ્લુ કરવામાં આવે જો દિન 30 મા ખુલ્લું કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પણ પડશે જય ભારત


