Gujarat

પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે ‘કાઇટ મેકિંગ વર્કશોપ’નું આયોજન કરાયું

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પુરાતત્ત્વ અને સંગ્રહાલય ખાતાં હેઠળ સમાવિષ્ટ પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને પતંગ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તા. ૦૮ જાન્યુઆરીના રોજ યોજાયેલા આ કાઇટ મેકિંગ વર્કશોપમાં ૦૭થી ૧૪ વર્ષ વયજૂથમાં આવતા કુલ ૨૨ બાળકોએ ભાગ લીધો હતો. સંગ્રહાલયના ક્યુરેટરશ્રી ડો. ધીરજ ચૌધરી દ્વારા ઉત્તરાયણનું મહત્વઆ વિષય પર રસપ્રદ જાણકારી આપવામાં આવી હતી. તેમજ કુમારી શ્રી સેજલબેન આશર દ્વારા બાળકોને વિવિધ પ્રકારના પતંગો બનાવતા તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં પતંગમાં વપરાતા જુદા-જુદા પ્રકારના પેપરો, પ્લાસ્ટિક, સ્ત્રો (પ્લાસ્ટિક સ્ટીક), બામ્બુ સ્ટિક વગેરેનો ઉપયોગ કરીને વેસ્ટ માંથી બેસ્ટ પતંગો તેમજ વિવિધ ભાત દર્શાવતા પતંગો બાળકો દ્વારા બનાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બાળકો દ્વારા  પક્ષી, ઓરિજિમ પ્રિન્ટ અને સ્મોલ પતંગ પણ બનાવવામાં આવી હતી. બાળકોને માર્ગદર્શન સંગ્રહાલયના કર્મચારી શ્રીમતી પ્રીતિ પાંડેએ આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કાનારાધવ ઠુંગા અને શ્રી નરેશભાઈ ગુજરીયાએ જહેમત ઉઠાવી હતી, તેમ ક્યૂરેટર શ્રી ડો. ધીરજ વાય. ચૌધરી, પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

-વર્કશોપ-6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *