હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ ખાતે આજ રોજ રામ નવમી ના પાવન પર્વ નિમિત્તે મરીયાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના જન્મોત્સવ નિમિતે પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી મહારાજ ને છપ્પનભોગ (અન્નકૂટ પ્રસાદ)ધરાયો હતો તેમજ સંતવાણી નું આયોજન કરાયું હતું આ પ્રસંગે પ્રાચી તીર્થ તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં થી પધારેલા દર્શનાર્થીઓ એ છપ્પનભોગ(અન્નકૂટ પ્રસાદ ) ના દર્શન કરવા ભારે માનવ મેદની ઉમટી હતી તમામ ભાવિ ભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી


