Gujarat

પ્રાચી લોહાણા (રઘુવંશી) સમાજ દ્વારા રવિવારે વીર દાદા જશરાજ બાપા ના શોર્ય દિન ની ભવ્ય ઉજવણી કરાશે

હાર્દિક કાનાબાર પ્રાચી

પ્રાચી તીર્થ ખાતે તા 22-1-2023 ને રવિવાર ના રોજ લોહાણા સમાજ અતિથિ ગૃહ ખાતે  લોહાણા સમાજ દ્વારા  લોહરાણા સમાજ ના ઘડવૈયા એવા વીર દાદા જશરાજ બાપા ના શોર્ય દિન ઉજવવા નું આયોજન કરાયું છે જેમાં પ્રાચી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા  તમામ લોહાણા સમાજ  રવિવાર ના રોજ બપોર પછી બધા ધંધા રોજગાર બંધ રાખી જોડાશે જેમાં   વીર દાદા જશરાજ બાપા ની પૂજા અર્ચના તેમજ ભજન કીર્તન તેમજ સમસ્ત લોહાણા(રઘુવંશી) સમાજ દ્વારા સમૂહ પ્રસાદી નું આયોજન કરવામાં આવશે તો આ પ્રસંગે પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ લોહાણા સમાજ ને પ્રસાદી નો લાભ લેવા પ્રાચી લોહાણા સમાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવેલ છે

Screenshot_20230120-183149.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *