Gujarat

ભરતીમેળામાં હાજર રહેલા ૨૫૦ ઉમેદવારો માંથી ૬૦ ઉમેદવારોની પસંદગી કરાઇ

રોજગાર કચેરી જામનગર દ્વારા તા.૪ માર્ચના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.સી.આઈ.સી.આઈ બેંક,
જામનગર ખાતે સિનીયર ઓફીસર, સેલ્સ ઓફિસરની ૬૦ જગ્યા માટે ખાસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
ભરતી મેળામા ૨૫૦ થી વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૧૦ થી વધારે ICICI બેંકની ઈન્ટરવ્યું પેનલ દ્વારા વિવિધ
૬૦ જગ્યા પર ઉમેદવારોના ઈન્ટરવ્યું લઈને પસંદગી કરવામાં આવેલ હતી. ઈન્ટરવ્યુ માટેની વ્યવસ્થા માટે ઉમેદવારોને ટોકન
આપવામાં આવેલ હતા.
આ ભરતીમેળામાં રોજગાર કચેરીના મદદનીશ નિયામક શ્રી સરોજબેન સોડપા, રોજગાર અધિકારીશ્રી ભારતીબેન ગોજીયા,
પ્લેસમેન્ટ ઓફિસર વિરેન્દ્રસિંહ વાઢેર, ICICI બેંક જામનગરના બ્રાન્ચ મેનેજરશ્રી નારાયણ બાલા, ચેતનભાઈ ખખ્ખર, અંજલિ
શુક્લા તથા અપૂર્વ રાવલ હાજર રહ્યા હતા
રોજગાર કચેરી દ્વારા અનુબંધ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in ) ના માધ્યમથી જોબફેર યોજવામાં
આવે છે. જેથી દરેક રોજગાર વાચ્છુ ઉમેદવારોએ “અનુબંધમ” પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા મદદનીશ નિયામક (રોજગાર) દ્વારા
અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *