Gujarat

માંગરોળ સિંધી સમાજ દ્વારા શ્રીઝુલેલાલ જન્મોત્સવ ચેટીચાંદ ની ભવ્ય ઉજવણી કરાઈ… ભવ્ય શોભાયાત્રા સત્સંગ સહીત ના કાર્યક્રમો યોજાયા…  

માંગરોળમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા “ચૈત્રીબીજ” ચેટીચાંદ મહોત્સવની ખુબજ હર્ષોઉલ્લાસ થી ભવ્ય ઉજવણી કરાઈ. આ દિવસે સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર આખો દિવસ બંધ રાખી વહેલી સવારે શ્રીઝુલેલાલ મંદિરે મહાઆરતી તેમજ મુરલીધર વાડી ખાતે પુજા સત્સંગ સમુહ મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ, તેમજ દર વર્ષની જેમ સાંજે ઝુલેલાલ મંદિરે થી ભેરાણા સાહેબ સાથે ડીજે ના તાલે “આયોલાલ ઝુલેલાલ” ના નાદ સાથે ગાંધીચોક થઈ મુખ્ય બજાર માંથી બહોળી સંખ્યા સમાજ ના ભાઈઓ બહેનો વડીલો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાનુ લીમડાચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી  વિનુભાઈ મેસવાણીયા,. પ્રફુલભાઈ નાંદોલા, હરેશભાઈ રુપારેલીયા, નગરપાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી દ્વારા સિંધી સમાજના આગેવાનો નુ કુમ કુમ થી તિલક કરી અને ફુલહાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પવિત્ર ભેરાણા સાહેબનુ સાથે સિંધી સમાજના પ્રમુખ નાનકરામ સોમૈયા ઉ.પ્રમુખ અશોકભાઈ ક્રિષ્નાણી. સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, સુનીલભાઈ કોટક લીનેશભાઈ સોમૈયા દિલીપભાઈ ટીલવાણી સહિત આગેવાનોને ફુલહાર પહેરાવી સન્માન સાથે આવકાર્યા હતા. સિંધી સમાજ ની વર્ષો ની પરંપરાગત મુજબ આ શોભાયાત્રા પુર્ણ કરી ત્યારબાદ પવિત્ર જ્યોત ને બંદર ખાતે દરીયાદેવ માં પરવાન કરી ઝુલેલાલ ભગવાનની આરધના સાથે ચેટીચાંદ મહોત્સવની અનેરા ઉત્સાહ અને શ્રદ્ધાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,,,,

20230324_233951.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *