લીલીયા મોટા ખાતે આજે બપોરે ત્રણ કલાકે લીલીયા સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના વરદ હસ્તે લીલીયા પૂજાપાદર વચ્ચે આવેલ પુલનું રીપેરીંગ કામ રૂપિયા 5,00,000 ના ખર્ચે મંજૂર થઈ આવતા ખાતમુરત કરવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક વર્ષોથી આ માર્ગની સ્થિતિ અતિ ખરાબ હોય એને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ઘણા સમયે પુલ પર રીપેરીંગ નું કામ મંજુર થતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી જીગ્નેશ સાવજ ગૌતમભાઈ વિછીયા કેતન ઢાકેચા અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા જીવનભાઈ વોરા કેપ્ટન ધામત આનંદ ધાનાણી તુષાર ધોરાજીયા પત્રકાર અશોક ભાઈ વિરાણી મનોજ ભાઈ જોષી ઇમરાન પઠાણ ઘનશ્યામ મેઘાણી તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ ગામ જનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


