Gujarat

વિજ કનેશન થી વંચીત રહેલા લાભાર્થીઓને કુટીર જચોત યોજનામાં વિજ જોડાન આપવા બાબતે જિલ્લા પંચાયતના વિરોઘ પક્ષના નેતા નગીન ભાઈ રાઠવાએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખ્યો  

છોટાઉદેપુર તાલુકાના રાયસીંગપુરા (હ) ગામે પરબડી ફળીયા, તલાવફળીયામાં વિજ જોડાણ-કનેકશથી વંચીત રહેલા લાભાર્થીઓને કુટીર જયોત યોજનાનો લાભ મળે એ માટે તા-24-4-2022ના રોજ રાયસીંગપુરા જુથ ગ્રામ પંચાયના સરપંચ  રાઠવા મંજુલાબેન વિક્રમભાઇની અધ્યક્ષથામા મિટીંગ મળી હતી આ મિટીંગમાં સર્વાનુ મતે વિજ કનેશનથી વંચીત રહેલા લાભાર્થી ઓને વિજ કનેશન મળે એવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું છે ગ્રામ સભાના ઠરાવ અને વિરોધ પક્ષના નેતા નગીન ભાઈ રાઠવાની લાગણીને ધ્યાનમાં લાઇ ઘટતી કાર્યવાહી કરવા નમ્ર અરજ વિનંતી કરાઇ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *