Gujarat

શનિવાર નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ ને રંગબેરંગી મોગરો,ગુલાબ વિગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરાયો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર  નિમિત્તે તા.29-04-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને  દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી  પૂજારી સ્વામી તથા 7:00  કલાકે આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને  મોગરો,ગુલાબ વિગેરે  રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ જેના દર્શન-આરતીનો લાભ  હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230429-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *