Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકીયા કોલેજમાં 108 ઈમરજન્સી સેવા અંગે સેમિનાર યોજાયો.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજમાં આજરોજ કેન્દ્ર સરકાર પ્રેરિત 108 ઈમરજન્સી સેવા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયેલ હતું.
 પ્રિ.ડો.એસ.સી.રવિયાના પ્રાસંગિક ઉદબોધન સાથે કાર્યક્રમની શરૂઆત થયેલ. ત્યારબાદ ઈમરજન્સી મેડિકલ ટેકનીશીયન શ્રી પ્રકાશભાઈ ધાંધલાએ 108 ઈમરજન્સી સેવા અંગે વિસ્તૃત જાણકારી આપેલ તેમજ તમામ વિદ્યાર્થીઓને 108 ઈમરજન્સી સેવા એપ્લિકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરાવી તેનો ઇમર્જન્સી સુવિધા માટે કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપેલ.કાર્યક્રમમાં આ સાથે ટેકનિશિયન શ્રી જગદીશભાઈ સોલંકી, પાયલોટ શ્રી ભાવેશભાઈ ગીડા પણ વિશેષ ઉપસ્થિત રહેલા. કોલેજના સ્ટાફગણે  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં વિશેષ જહેમત ઉઠાવેલ એમ આ કોલેજના પ્રાધ્યાપક પાર્થભાઈ ગેડિયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે

IMG-20230310-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *