પ્રસિદ્ધ તીર્થ એવા યાત્રાધામ સોમનાથ થી મુસાફરો ને જરુરી સુવિધા બાબત અંગે યોગ્ય કરી એસ ટી તંત્ર દ્વારા જરૂરી ફેરફાર કરી ચલાવવી જોઈએ તો મુસાફરો ને એસ.ટી ની સુવિધા મળી શકે જેમા સોમનાથ સાળંગપુર એસટી બસ સેવા નો સમય બપોરે સાડા બાર વાગ્યા ની આરતી પછી
સોમનાથ થી ઉપડવા અને નાઇટ હોલ્ટ સાળંગપુર થી સોમનાથ સવારે પરત વેરાવળ તરફ આવે તેમજ સોમનાથ અંબાજી એસટી બસ સેવા ને વાયા ગાંધીનગર ને બદલે હીંમતનગર ઇડર ખેડ બ્રહ્મા થઈ અંબાજી એસટી બસ સેવા ચલાવવા તેમજ નાથદ્વારા થી સોમનાથ સુધીની ઍસ.ટી બસ સેવા જે કેશોદ સુધી જ આવતી હોય તો વ્હેલી સવારે પ નાથદ્વારા થી સોમનાથ વેરાવળ આવતા સિનિયર સિટીઝન્સ વડીલો મહિલાઓ બાળકો સાથે હેરાન પરેશાન થાય છે તો આ બસ સેવા વેરાવળ સોમનાથ સુધીની ડાઈરેકટ થાય અને વાપી રુટ પર ચાલતી એસ.ટી ની સ્લીપર કોચ ઍસ.ટી બસ સેવા જે સોમનાથ
થી વડોદરા સુરત વલસાડ નવસારી જેવા શહેરોમાં તેમજ મુંબઈ મહારાષ્ટ્ર જ્વા માટે આશીર્વાદ સમાન છે પણ આ બસ સેવા ની હાલત અત્યારે સાવ કંડમ છે તો વલસાડ વિભાગ દ્વારા આ રુટ મા નવી એસટી સ્લીપર કોચ બસ સેવા ની સુવિધા મળે તે હેતુથી પ્રેરણા સેવા સમીતી ના પાયલ બેન પારેખ સોની યોગેશ પી સતીકુંવર દ્વારા મુસાફરો ને વધુ સારી રીતે એસટી ની નવી સ્લીપર કલાસ ઍસ.ટી બસ સેવા મળે તે હેતુથી ખાસ રજુવાત કરી છે
