તહેવાર શાંતિ ભાઈચારા અને કૌટુંબિક ભાવના સાથે ઉજવણી થાય તેવી જામકંડોરણા ના પીએસઆઈ વિ. એમ. ડોડીયા સાહેબ દ્વારા અપીલ કરાઇ
જામકંડોરણા સ્ટેશનમાં પીએસઆઈ વિ. એમ ડોડીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને આગામી દિવસોમાં હિન્દુ ધર્મના મર્યાદા પરષોત્તમ રામજી લાલાનો જન્મ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ રામનવમી તહેવારને ધ્યાને લઈ જામકંડોરણા શહેરના અગ્રણીઓની શાન્તિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં સભ્યોનો પરિચય મેળવી આગામી રામનવમી તહેવાર શાંતિ ભાઈચારા કૌટુંબિક ભાવના સાથે ઉજવાય તેવી પીઆઇ ડોડીયા દ્વારા સૌને નમ્ર અપીલ કરવામાં આવી હતી.
આ તકે જામકંડોરણા બજરંગ દળ ના પ્રમુખ નાજાભાઈ મુંધવા મુસ્લિમ બિરાદરો માથી હનીફભાઈ મચ્છીવાલા, જુમ્માભાઈ ખુરશી સહિત આગેવાનો હાજરી આપી હતી
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા


