Jammu and Kashmir

માતા વૈષ્ણોદેવીના દર્શન માટે લાખો ભક્તોની ભીડ ઉમટી

શ્રીનગર
એપ્રિલના પહેલા ૧૦ દિવસમાં લગભગ ૩.૨૦ લાખ ભક્તો જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના કટરા શહેરની ત્રિકુટ પહાડીઓમાં સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે પહોંચ્યા અને માતાને પ્રણામ કર્યા. શ્રાઈન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે પરીક્ષાઓ પૂરી થતાની સાથે જ માતા વૈષ્ણો દેવીની ગુફામાં ભક્તોની ભીડ વધવા લાગી છે. તેમણે કહ્યું કે કટરા શહેરમાં ઉત્સવનો માહોલ છવાયેલો છે અને દેશના વિવિધ ભાગોમાંથી ભક્તો અહીં પહોંચી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે ચાલુ મહિનાના પહેલા ૧૦ દિવસમાં અત્યાર સુધીમાં ૩.૨૦ લાખ ભક્તોએ ગુફાના દર્શન કર્યા છે. સપ્તાહના અંતે શુક્રવારે ૪૬,૨૧૯ ભક્તોએ, શનિવારે ૪૭,૩૮૮ અને રવિવારે બપોરે ૩ વાગ્યા સુધી ૩૭,૫૦૦ ભક્તોએ ગર્ભગૃહની મુલાકાત લીધી હતી. ભારે ભીડને કારણે, યાત્રા નોંધણી કેન્દ્ર પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું, જેના પગલે હજારો શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ દ્વારા સ્થાપિત યાત્રા રજીસ્ટ્રેશન સેન્ટર, કટરા ખાતેના બેઝ કેમ્પમાં રોકાયા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. શ્રાઈન બોર્ડ પ્રશાસને શ્રદ્ધાળુઓની સુવિધા માટે તમામ યાત્રા રજીસ્ટ્રેશન કેન્દ્રો ખોલી દીધા છે. દરમિયાન, શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે કટરા બેઝ કેમ્પ અને ભવન જવાના માર્ગ પર ૨૪ કલાક ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *