Madhya Pradesh

ભોપાલમાં એક વિદ્યાર્થીએ ૩ માળના બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી

ભોપાલ
૧૮ વર્ષનો દાનિશ કુંજ કોલાર રોડનો રહેવાસી એક ખાનગી શાળામાં ધોરણ ૧૧નો વિદ્યાર્થી છે. શાહપુરા પોલીસે તેને ગયા વર્ષે મંદિરમાં ચોરીના આરોપમાં પકડ્યો હતો, જ્યારે તે સગીર હતો. આવી સ્થિતિમાં શાળાનાં બાળકોએ તેને ચોર કહીને ચીડવવાનું શરૂ કર્યું. સ્કૂલ મેનેજમેન્ટે તેને સ્કૂલ આવવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે બાળકો વિરોધ કરી રહ્યાં છે કે તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છોકરાઓ સાથે અભ્યાસ નહીં કરે. વિદ્યાર્થી ગુરુવારે શાળાએ પહોંચ્યો હતો. શાળાના આચાર્ય સાથે વાત કરીને તે બહાર આવ્યો. આ પછી શાળાની બાજુમાં આવેલા ત્રણ માળની બિલ્ડિંગ પર ચઢીને તેણે આત્મહત્યાની ધમકી આપવાનું શરૂ કર્યું. દરમિયાન કોલાર પોલીસ સ્ટેશનના છજીૈં જયસિંહ સહિત ત્રણ પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ તેને નીચે ઊતરવા સમજાવવા લાગ્યા. દરમિયાન એક યુવક છત પર પહોંચ્યો હતો. તે વિદ્યાર્થીને પકડવાનો પ્રયાસ કરે છે, ત્યારે જ તે નીચે કૂદી જાય છે. તેને કૂદતો જાેઈને છજીૈં જય કુમારે વિદ્યાર્થી જમીન પર પડે એ પહેલાં તેને પકડી લીધો હતો. આ પ્રયાસમાં તેને છાતી અને હાથના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થી પરીક્ષાની માહિતી મેળવવા શાળામાં ગયો હતો. તેણે સ્કૂલ મેનેજમેન્ટને કહ્યું કે તે સ્કૂલમાં આવશે. ફી પણ ભરે છે. આ બાબતે શાળાના સ્ટાફ સાથે તેની બોલાચાલી થઈ હતી. તે ગુસ્સામાં શાળાની બહાર નીકળી ગયો. આ પછી શાળાની બાજુમાં આવેલી બિલ્ડિંગમાં પહોંચ્યો. તેણે ધાબા પરથી કૂદવા માટે બૂમો પાડવાનું શરૂ કર્યું, જેથી આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે અમારા બાળક પર ચોરીનો આરોપ છે. આ કારણસર પ્રિન્સિપાલે કહ્યું હતું કે તેનું એડમિશન રેગ્યુલર રહેશે, તેને સ્કૂલમાં આવવા દેશે નહીં, માત્ર પેપરો આપવા માટે બોલાવશે. હવે પેપર આવ્યું છે એટલે ના પાડી રહ્યા છે. તે સગીર હોવાને કારણે જેલમાં નથી ગયો, પરંતુ કેસ ચાલી રહ્યો છે. હમણાં જ ૩૦મી જાન્યુઆરીએ નિર્માણ થયું.ભોપાલના કોલાર વિસ્તારમાં ૧૧મા ધોરણના વિદ્યાર્થીએ સ્કૂલની બાજુના ૩ માળની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી દીધી. તેને બચાવવા માટે એક યુવક પણ છત પર પહોંચ્યો હતો. જાેકે તેને પકડે એ પહેલાં જ વિદ્યાર્થી કૂદી ગયો અને નીચે ઊભેલા છજીૈં પર પડ્યો હતો. વિદ્યાર્થીને બચાવવા જતાં છજીૈંનો હાથ ભાંગી ગયો. આ ઘટનામાં વિદ્યાર્થી પણ ઘાયલ થયો છે. આ પગલું ભરતાં પહેલાં વિદ્યાર્થીએ બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી – સોરી મા, કાલે કદાચ હું નહીં હોઉં. તેના મિત્રોએ તેનું કારણ પૂછ્યું, પરંતુ તેણે કોઈને કંઈ જવાબ આપ્યો નહીં. વિદ્યાર્થી ચોરીના આરોપમાં શાહપુરા પોલીસના હાથે ઝડપાયો હતો. આ પછી સાથી વિદ્યાર્થીઓ તેને ચોર કહેવા લાગ્યા. શાળાના આચાર્ય સાથે વાત કર્યા બાદ તેણે બહાર આવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ વિદ્યાર્થીની માતા અને પિતા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. આ દરમિયાન માતા રડતી રહી. જણાવ્યું કે પુત્રને ભણવા દેવામાં આવતો ન હતો, જેને કારણે તે તણાવમાં આવી ગયો હતો. તેણે એક દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર લખ્યું- સોરી મા, કાલે કદાચ હું નહીં હોઉંપ.મિત્રોએ પણ પોસ્ટ વિશે પૂછ્યું હતું, પરંતુ તેણે કશું જ કહ્યું નહીં.

File-02-Photo-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *