Maharashtra

સંજય રાઉતે ફડણવીસને પત્ર લખી કર્યો દાવો, ‘ શિંદેના પુત્રએ મને મારવા માટે સોપારી આપી’

મુંબઈ
મહારાષ્ટ્રના શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, સીએમ એકનાથ શિંદેના પુત્રએ તેમની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. સાંસદ સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. તેણે કહ્યું કે, તેનો જીવ જાેખમમાં છે. પત્રમાં લખ્યું છે કે, તેને માહિતી મળી છે કે થાણેનો એક મોટો ગુંડો રાજ ઠાકુર અને તેની ગેંગ તેને મારવા માંગે છે. આ મામલે ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, તેમને (સંજય રાઉત)ને સુરક્ષાની જરૂર છે કે, તેઓને ધમકીઓ મળી છે, તે પહેલા જાણવાની જરૂર છે. ફડણવીસે કહ્યું કે, મેં તેમનો પત્ર રાજ્યની ગુપ્તચર સંસ્થાને મોકલ્યો છે, તેમની ધમકીની ધારણા કેટલી છે, તે રિપોર્ટ તૈયાર થશે, પછી ડીજી નક્કી કરશે કે, સુરક્ષા આપવી કે નહીં. રોજ નવી સનસની ફેલાવવાથી કંઈ થતું નથી. જાે રાજ્યમાં કોઈના જીવને ખતરો છે, તો અમારી સરકાર તેમને સુરક્ષા આપશે, પરંતુ ઓહાપો ન ફેલાવો. સંજય રાઉતે પણ આવો જ પત્ર મુંબઈ પોલીસ કમિશનર અને થાણે સિટી પોલીસ ઓફિસરને મોકલ્યો છે. તેણે લખ્યું છે કે, મેં તેની પુષ્ટિ કરી છે. હું એક જવાબદાર નાગરિક તરીકે તમને જાણ કરું છું. શિંદેના જૂથના ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું કે, સંજય રાઉત સસ્તી રણનીતિ અપનાવી રહ્યા છે. તેમના આરોપોને કોઈ સત્ય તરીકે સ્વીકારી શકે નહીં. તેઓ સ્ટંટ કરી રહ્યા છે, પરંતુ તેમના આરોપોની તપાસ થવી જાેઈએ, જેથી સત્ય બહાર આવે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *