Maharashtra

ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા સંજય રાઉતની વિરૂધ્ધ થયો ગુુનો દાખલ

નાસિક
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ અને ફાયર બ્રાન્ડ નેતા સંજય રાઉત સામે નાસિક શહેરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંજય રાઉતે એક નિવેદનમાં કથિત રીતે સરકારી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને ગેરકાનૂની રાજ્ય સરકારના આદેશનું પાલન ન કરવાનું કહ્યું હતું અને આ પછી નાસિક પોલીસે સંજય રાઉત સામે હ્લૈંઇ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે ગુનો દાખલ થયા બાદ સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ૧૨મી મેના રોજ સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદા બાદ સંજય રાઉતે આ નિવેદન આપ્યું હતું. સંજય રાઉતે નિવેદનમાં એવો પણ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર આગામી ૩ મહિનામાં પડી જશે. સરકારી કર્મચારીઓને સરકાર વિરુદ્ધ સરકાર વિરુદ્ધ અપીલ કરવા માટે ઉશ્કેર્યા હતા.નાસિકમાં આવેલા મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં સંજય રાઉત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સંજય રાઉત સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ ૫૦૫(૧) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નાસિક પોલીસ વડા અંકુશ શિંદેએ શિવસેનાના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અપ્રિય ઘટનાઓની શક્યતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ, ૧૯૫૧ હેઠળ નાશિક શહેરની હદમાં પ્રતિબંધિત આદેશો જારી કર્યા છે. શિંદેએ કહ્યું કે રાજકીય પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે અને પૂતળા દહન અને સૂત્રોચ્ચાર જેવી ઘટનાઓની આશંકાના પગલે આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશમાં લોકોને બંદૂક, લાઠી, લાઠી કે લાઠી વગેરે જેવા હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ છે. આ આદેશ ૨૯ મે સુધી અમલમાં રહેશે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *