Maharashtra

કાર્તિક-ક્રિતીની ફિલ્મ ‘શેહઝાદા’ની શાનદાર ઓપનિંગ, કેટલું થશે પહેલા દિવસનું કલેક્શન?!..

મુંબઈ
કાર્તિક આર્યન અને ક્રિતી સનન અભિનીત ફિલ્મ શહેઝાદા આખરે આજે રીલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મની રીલીઝ ડેટ અગાઉ એક વખત કેન્સલ કરવામાં આવી હતી. જાેકે, આ ફિલ્મ અત્યારે થોડા એડવાન્સ બુકિંગના કારણે શરૂઆતના દિવસે સ્પોટ બુકિંગથી વધુ લાભ ક મેળવી રહી છે. ભૂલ ભુલૈયા ૨ જબરદસ્ત સફળ રહી હતી. તે પછી કાર્તિકની આ બીજી ફિલ્મ છે. ટ્રેડ વેબસાઇટ જીટ્ઠષ્ઠહૈાના અહેવાલ મુજબ શેહઝાદા ભારતમાં ૩૦૦૦થી વધુ સ્ક્રીનમાં રીલીઝ થઈ છે. અત્યાર સુધીમાં કુલ ૨૨,૦૦૦ ટિકિટોનું વેચાણ કર્યું છે. આ ફિલ્મ આજે રિલીઝ કરવામાં આવી છે. ગુરુવારે બપોરે ૧ વાગ્યા સુધીમાં ફિલ્મે પ્રથમ દિવસ માટે ત્રણ નેશનલ ચેઇન્સ- પીવીઆર, આઇનોક્સ અને સિનેપોલિસમાં માત્ર ૧૨,૦૦૦ ટિકિટોનું વેચાણ કર્યું હતું. કોવિડ પછીના સમયમાં કોઈ પણ અગ્રણી બોલિવૂડ અભિનેતા માટે આ સૌથી નીચું એડવાન્સ બુકિંગ છે. એટલું જ નહીં, પરંતુ ભૂલ ભુલૈયા ૨ એ ગયા વર્ષે જે કર્યું હતું તેના અડધાની નજીક પણ નથી. અનીસ બઝમી દિગ્દર્શિત ભૂલ ભુલૈયા ૨ ફિલ્મે શરૂઆતના દિવસે એડવાન્સ વેચાણમાં આશરે ૬.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેના પરિણામે ૧૪.૧૧ કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ થઈ હતી. તે સમયે કોવિડ પછીના સમયમાં કોઈ પણ બોલિવૂડ ફિલ્મ માટે બીજા ક્રમનો સૌથી મોટો ઓપનિંગ ડે રેકોર્ડ હતો. જાે કે, શેહઝાદાએ જે એડવાન્સ વેચાણ નોંધાવ્યું છે, તેનાથી લાગે છે કે ફિલ્મ તેના શરૂઆતના દિવસે ૫-૭ કરોડ રૂપિયા અને ૭ રૂપિયા ની વચ્ચે કલેક્શન કરી શકે છે. રજાઓનું ફેક્ટર શેહઝાદાને સ્કેલ કરવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને નોર્થમાં મહાશિવરાત્રીની રજા છે. બીજી તરફ માર્વેલ સ્ટુડિયોની એન્ટ-મેન ૩ને કારણે કાર્તિકની ફિલ્મના કલેક્શન સામે પડકાર આવી શકે છે, આ ફિલ્મ પણ તે જ દિવસે સ્ક્રીન પર આવી રહી છે અને માર્વેલની અન્ય ઘણી ફિલ્મોની જેમ ભારતમાં પણ સારું એડવાન્સ બુકિંગ નોંધાવ્યું છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *