Maharashtra

વિદ્યુત જામવાલ અને નંદિતા માહતાની બે વર્ષે છૂટા પડ્યાં!.. બે વર્ષના સંબંધોનો આવ્યો અંત

મુંબઈ
એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઈનર નંદિતા માહતાનીના બે વર્ષના સંબંધોનો આખરે અંત આવ્યો છે. નંદિતા માહતાનીએ અગાઉ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. નંદિતાના ડાઈવોર્સ બાદ કરિશ્મા કપૂરે સંજય સાથે મેરેજ કર્યા હતા. ડાઈવોર્સ બાદ નંદિતા સોશિયલ ગેધરિંગ અને પાર્ટીમાં છવાયેલી રહેતી હતી. નંદિતા અને વિદ્યુત જામવાલની મુલાકાત આવી જ એક પાર્ટી દરમિયાન થઈ હતી. અનન્યા પાંડેની કઝિન એલાના પાંડેની હલ્દી સેરેમનીમાં નંદિતા અને વિદ્યુત જાેવા મળ્યા હતા. સામાન્ય રીતે જાહેર પ્રસંગે સાથે જ ફરતું આ કપલ અલગ-અલગ દેખાતુ હતું. જેના કારણે તરત જ ચર્ચાઓ શરૂ થઈ હતી. સોર્સીસના જણાવ્યા પ્રમાણે વિદ્યુત અને નંદિતાને પરસ્પર સંમતિથી છૂટા થવાનો ર્નિણય લીધો છે. વિદ્યુતનો સ્વભાવ શરમાળ છે અને તેને પાર્ટી કે મેળાવડા ખાસ ગમતા નથી. જેના કારણે તેમની વચ્ચે અંતર વધી રહ્યુ હતું. ૨૦૨૧માં તાજમહેલની સાક્ષીએ તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો. છૂટા પડ્યા બાદ પણ તેમની વચ્ચે મિત્રતાના સંબંધો યથાવત હોવાનું કહેવાય છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *