Maharashtra

ના હોય!.. ત્રણ દાયકાથી ઐશ્વર્યા રાય અને મનીષા કોઈરાલા વચ્ચે અબોલાનું આ હતું કારણ

મુંબઈ
ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની અધૂરી લવસ્ટોરી ખૂબ પ્રખ્યાત છે. જાે કે સલમાન ખાન સાથે ડેટિંગ પહેલાં ઐશ્વર્યા રાયના જીવનમાં બીજુ કોઈ હતું. ઐશ્વર્યાની આ અજાણી લવ સ્ટોરીનો ખુલાસો મનીષા કોઈરાલાએ કરી દીધો હતો. ૧૯૯૪ના વર્ષમાં બનેલી આ ઘટના બાદ બંને એક્ટ્રેસ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. સમય જતાં આ વિવાદ વિસરાતો ગયો, પરંતુ તેમની વચ્ચેના અબોલા ત્રણ દાયકા બાદ પણ યથાવત છે. ૯૦ના દસકાની એ-ગ્રેડ એક્ટ્રેસમાં મનીષા કોઈરાલા અને ઐશ્વર્યા રાયનો સમાવેશ થાય છે. મનીષાએ ૧૯૯૧ના વર્ષમાં સુભાષ ઘાઈની ફિલ્મ સૌદાગરથી કરિયર શરૂ કરી હતી. જ્યારે ઐશ્વર્યા રાયે ૧૯૯૭માં ઔર પ્યાર હો ગયા ફિલ્મથી બોલિવૂડમાં ડગ માંડ્યા હતા. ઐશ્વર્યા અને મનીષાએ સાથે ક્યારેય ફિલ્મ કરી નથી, પરંતુ તેમની વચ્ચેનો ઝઘડો બોલિવૂડમાં મશહૂર છે. મનીષાએ ૧૯૯૪ના વર્ષમાં એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તે સમયના પોપ્યુલર મોડેલ રાજીવ મૂલચંદાનીએ ઐશ્વર્યા રાય માટે સંબંધો તોડ્યા હતા. અગાઉ મનીષા અને રાજીવ એકબીજાને ડેટ કરતા હતા, પરંતુ રાજીવના જીવનમાં ઐશ્વર્યા આવી જતાં સંબંધો પૂરા થયા હતા. રાજીવે ઐશ્વર્યા માટે લખેલા લેટર્સ પણ પોતે જાેયા હોવાનો મનીષાએ દાવો કર્યો હતો. મનીષા કોઈરાલાએ ઈન્ટરવ્યૂ આપ્યો ત્યારે ઐશ્વર્યા રાય જાણીતી મોડેલ હતી. બોલિવૂડ હજુ તેના માટે દૂર હતું, જ્યારે મનીષાની લોકપ્રિયતા ટોચ પર હતી. તેથી મનીષાના આ ખુલાસાનો જાહેરમાં જવાબ આપવાની હિંમત ઐશ્વર્યાએ બતાવી ન હતી. અંદરખાને બંને વચ્ચે ખૂબ ચડસા-ચડસી ચાલી હતી. ઐશ્વર્યાએ આ ઘટનાના પાંચ વર્ષ બાદ મનીષાને જવાબ આપ્યો હતો. ૧૯૯૯ના વર્ષમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાયે મનીષાના દાવાને પોકળ ગણાવ્યો હતો. મનીષાના કારણે પોતાની ઈમેજ બગડી હોવાનું જણાવીને ઐશ્વર્યા રાયે સ્પષ્ટતા કરી હતી કે, રાજીવ સાથે તેને માત્ર મિત્રતા હતી, પ્રેમસંબંધો ન હતા.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *