મુંબઈ
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરે મંગળવારે અશોક મલ્હોત્રાની આગેવાની હેઠળની ક્રિકેટ સલાહકાર સમિતિ (ઝ્રછઝ્ર) સાથે વર્ચ્યુઅલ ઇન્ટરવ્યુમાં હાજરી આપી હતી. સિનિયર સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે તેમની નિમણૂકની માત્ર ઔપચારિકતા પૂરી કરવામાં આવી છે. અગાઉ પણ તેમણે આ પદ માટે અરજી કરી હતી પરંતુ ચેતન શર્માને આ જવાબદારી સોંપવામાં આવી હતી. મુંબઈ ક્રિકેટના મુખ્ય પસંદગીકાર તરીકે કામ કરી ચૂકેલા અજિત અગરકર પાસે આ જવાબદારી સંભાળવાનો ઘણો અનુભવ છે. એવું માનવામાં આવે છે કે મ્ઝ્રઝ્રૈં નિમણૂકની ઔપચારિકતા પૂર્ણ કરવા માંગતું હતુ જેના પછી તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ચાર્જ સંભાળ્યા પછી, અજીત અગરકર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટી૨૦ ટીમની પસંદગી કરવા માટે પસંદગી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે. બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, “અજીત અગરકર એકમાત્ર ઉમેદવાર છે જે ઈન્ટરવ્યુ માટે હાજર થયા હતા. તે વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂ હતું કારણ કે તે હાલમાં ફેમિલી વેકેશન પર વિદેશમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગરકરને આ જવાબદારી સોંપવામાં આવી હતી કારણ કે ઉત્તરમાંથી કોઈ નોંધપાત્ર નામ નથી. આ જ કારણ છે કે મ્ઝ્રઝ્રૈં દરેક પાંચ ઝોનમાંથી પસંદગીકારની નિમણૂક કરવાની તેની જૂની પરંપરા તોડશે. અગરકરની નિમણૂકનો અર્થ એ થશે કે પશ્ચિમ ઝોનમાં બે પસંદગીકારો હશે. સલિલ અંકોલા પશ્ચિમ ઝોનમાંથી અન્ય પસંદગીકાર હશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાંથી સુબ્રતો બેનર્જી, દક્ષિણમાંથી એસ શરથ અને પૂર્વમાંથી એસએસ દાસ પસંદગીકારો રહેશે. અજીત અગરકરે ૨૬ ટેસ્ટ અને ચાર ્૨૦ ઈન્ટરનેશનલ ઉપરાંત ૧૯૧ ર્ંડ્ઢૈં રમી છે. તે ૧૯૯૯, ૨૦૦૩ અને ૨૦૦૭ ર્ંડ્ઢૈં વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ રહ્યો હતો. તેને ૨૦૦૭ વર્લ્ડ ્૨૦ વિજેતા ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. વનડેમાં સૌથી ઝડપી ભારતીય ફિફ્ટીનો રેકોર્ડ અજીતના નામે છે.


