Maharashtra

ટીમ ઈન્ડિયા ૨ વર્લ્ડ કપની તૈયારીઓમાં.. ૨ કેપ્ટન તો પુરજાેશ

મુંબઈ
ટીમ ઈન્ડિયા ૨૦૧૧થી વર્લ્ડ કપ અને ૨૦૧૩ પછી ૈંઝ્રઝ્ર ટ્રોફી જીતી શકી નથી. તાજેતરમાં જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવીને ફરી એકવાર ટાઇટલ જીતવાનું સપનું તોડ્યું હતું. હવે રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ વનડે વર્લ્ડ કપ માટે તૈયાર રહી છે. આ મેચ ભારતમાં ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી જ રમાશે. તે જ સમયે આવતા વર્ષે ્‌૨૦ વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે રમાશે. આ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ૧૨મી જુલાઈથી ૨ મેચોની ટેસ્ટ સિરીઝ છે. આ પ્રવાસમાં ટીમે ૩ વનડે અને ૫ ટી૨૦ મેચ પણ રમવાની છે. ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ્‌૨૦ ટીમની જાહેરાત પછી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવા ટીમને પ્રવાસ પર મોકલવામાં આવશે. પસંદગીકારો પહેલાથી જ ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમની તૈયારીમાં વ્યસ્ત છે. ર્ંડ્ઢૈં વર્લ્ડ કપની તૈયારીઓને મજબૂત કરવા માટે, મોટી ઈવેન્ટ પહેલા, ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ૩ ર્ંડ્ઢૈં રમશે. વનડે વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ તેણે પહેલા અફઘાનિસ્તાન સામે ૩ મેચની ્‌૨૦ સીરીઝ રમવાની છે. આ પછી ટીમને ડિસેમ્બર-જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવાનો છે. અહીં ૨ ટેસ્ટ, ૩ ર્ંડ્ઢૈં અને ૩ ્‌૨૦ મેચ રમાશે. ત્યારબાદ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ૫ મેચની ્‌૨૦ શ્રેણી રમશે. આ પછી જાન્યુઆરી-માર્ચમાં બહારની ટીમ ભારતમાં આવશે. અને અહીં આવી ૫ મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. આ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે. ત્યારબાદ ૈંઁન્ ૨૦૨૪ની મેચો રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા જશે. ત્યાં તેને જુલાઈમાં ૩ ર્ંડ્ઢૈં અને ૩ ્‌૨૦ મેચ રમવાની છે. ત્યારબાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાંગ્લાદેશ ભારત આવશે. તે દરમિયાન ૨ ટેસ્ટ અને ૩ ્‌૨૦ મેચ રમશે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ ઓક્ટોબર-નવેમ્બરમાં ૩ ટેસ્ટ રમવા માટે ભારત આવશે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *