Uttarakhand

ડીજેના ફુલ અવાજ સાથે રોડ પર નાચી રહ્યા હતા જાનૈયા, પોલીસે ૧૫,૦૦૦નો મેમો આપ્યો

નૈનીતાલ
ઉત્તરાખંડના નૈનીતાલમાં ધૂમધામથી એક જાન નીકળી હતી. જાનૈતા રોડ પર મન મુકીને ડાંસ કરી રહ્યા હતા. લગ્ન મંડપ પર જાનૈયાની રાહ જાેવાઈ રહી હતી. આ અગાઉ જાન મંડપ પર પહોંચે તે પહેલા પોલીસ જાનમાં ત્રાટકી. પોલીસ બેન્ડવાળા અને વરપક્ષને મેમો પકડાવી દીધો હતો. જે બાદ તમામ જાનૈયા શાંતિપૂર્વક લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, બુધવારની રાતે લગભગ ૧૧ કલાકે નૈનીતાલના તલ્લીતાલમાં ધર્મશાળાથી સિટીજન હોટલ તરફથી એક જાન આવી રહી હતી. બેન્ડવાળાની ધુન પર જાનૈયા નાચી રહ્યા હતા. રાતમાં એક નિશ્ચિત સમય બાદ ડીજેનો ફુલ અવાજ વગાડતા સ્થાનિક લોકોની અડચણ થઈ, તો ફોન પર ફરિયાદ કરી અને પોલીસ બોલાવી દીધી. સૂચના મળતા ઘટનાસ્થળ પર આવેલી પોલીસે બેન્ડવાજા બંધ કરાવ્યા અને નૈનીતાલ પોલીસના એસઓ રોહિતાશ સિંહ સાગરે ન્યૂઝ ૧૮ લોકલને જણાવ્યું કે, હાઈકોર્ટના આદેશ અનુસાર, રાતના ૧૦ વાગ્યા બાદ ઉંચા અવાજમાં ગીત વગા઼ડવું પ્રતિબંધિત છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર બહેડી નિવાસી બેન્ડ સ્વામી રઈસ અહમદને પાંચ હજાર રૂપિયા અને જાનૈયામાંથી મુખ્ય ધોબીઘાટ તલ્લીતાલા નિવાસી રોહિત ચૌધરીનું ૧૦ હજારનો મેમો આપી દીધો હતો. નૈનીતાલ પોલીસે રાતના ૧૦ કલાક બાદ હોટલ-રેસ્ટોરન્ટ, લગ્ન વિવાહ સમારંભ વગેરે પર નજર રાખવામાં આવી છે. ઉંચ્ચા અવાજમાં સંગીત વગાડનારા લોકો વિરુધ્ધ મેમો ફાડીની કાર્યવાહી થાય છે. શહેરમાં લગ્નની સિઝનમાં રાતના ૧૦ કલાક બાદ સમગ્રપણે પ્રતિબંધ છે. પણ અહીં કોઈ નિયમોનું ઉલ્લંઘન કરતા જાેવા મળે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *