National

ગુરુગ્રામમાં ઝેરવાળા દાણ ખાવાથી ૪૦ ભેંસોના મોત, ખેડૂતે પોલીસમાં કરી ફરિયાદ

ગુરુગ્રામ
ગુરુગ્રામમાં સેક્ટર ૬૫ પોલીસ ચોકી હદ વિસ્તારમાં આવતા કાદરપુરમાં ખાણદાણમાં ઝેર ખાવાથી એક ખેડૂતની ૪૦ ભેંસો મરી ગઈ છે. આ સંબંધમાં પીડિત ખેડૂતે ખાણદાણ સપ્લાઈ કરનારી કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. જાે કે, સેક્ટર ૬૫ પોલીસ ચોકીએ અરાવલીમાં ઘટનાસ્થળ પર પહોંચીને કેસ નોંધાવીને પોતાના ક્ષેત્રમાં તે આવતું હોવાનું કહીને ના પાડી દીધી હતી. કાદરપુર નિવાસી ભીમે ૪૧ ભેંસ અરાવલીની પહાડીમાં રાખી હતી. જ્યાં રાજસ્થાનની એક કંપનીથી આવતા ખાણદાણ આપતા હતા. જેમાં બે દિવસ પહેલા ઝેર ભળેલું હતું. જેને ખાતા જ ભેંસ બેભાન થઈને ઢળી પડી હતી. આ સંબંધમાં ભીમે પશુઓના ડોક્ટરને પણ વાત કરી, પણ ભેંસને બચાવી શક્યા નહીં. શનિવાર સુધી ૪૧માંથી ૪૦ ભેંસ મરી ચુકી હતી. ભીમના જણાવ્યા અનુસાર, તેમાં મોટા ભાગની ભેંસ દૂધ આપતી ભેંસ હતી અને તેમાંથી લાખો રૂપિયાની આવક થઈ રહી હતી.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *