રાયપુર
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવવા માટે કરેલા હુમલામાં ૫૦ કિલોથી વધુ ૈંઈડ્ઢ વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે વિસ્ફોટ બાદ જે પીકઅપ વાહનમાં સૈનિકો આવી રહ્યા હતા તેના પાર્ટ્સ ગાયબ થઈ ગયા, ઘટનાસ્થળે માત્ર નીચેનો અમુક ભાગ જ દેખાઈ રહ્યો છે. નક્સલવાદીઓએ કાર્ગો મીની વાનને ઉડાવી દીધી હતી જેમાં સુરક્ષા જવાનો મુસાફરી કરી રહ્યા હતા. આ હુમલામાં ૧૦ પોલીસકર્મીઓ અને એક ડ્રાઈવરનું મોત થયું છે. રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડ્ઢઇય્)ની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાંથી પરત ફરી રહી હતી ત્યારે અરનપુર પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. આ વિસ્તાર રાજ્યની રાજધાની રાયપુરથી લગભગ ૪૫૦ કિમી દૂર સ્થિત છે. રાજ્ય પોલીસ પાસેથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, ‘૨૬ એપ્રિલના રોજ દંતેવાડા જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ માઓવાદી કેડરની હાજરીની માહિતી પર, ડ્ઢઇય્ દળને નક્સલ વિરોધી અભિયાન માટે દંતેવાડાથી મોકલવામાં આવ્યું હતું, જે પરત ફર્યું હતું. ઓપરેશન બાદ આ દરમિયાન અરનપુર રોડ પર માઓવાદીઓ દ્વારા ૈંઈડ્ઢ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઓપરેશનમાં સામેલ ૧૦ ડ્ઢઇય્ જવાન અને ૧ ડ્રાઈવર શહીદ થયા હતા. આ હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે વાત કરી હતી અને દંતેવાડામાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં ૧૦ પોલીસકર્મીઓ શહીદ થયાની ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ હુમલામાં શહીદ થયેલા જવાનોમાં ત્રણ હેડ કોન્સ્ટેબલ રેન્કના જ્યારે ચાર કોન્સ્ટેબલ અને ત્રણ જવાનો છે. આ સાથે એક ડ્રાઈવરે પણ જીવ ગુમાવ્યો છે. શહીદ થયેલા જવાનોના નામ હેડ કોન્સ્ટેબલ જાેગા સોઢી, હેડ કોન્સ્ટેબલ મુન્ના રામ કડતી, હેડ કોન્સ્ટેબલ સંતોષ તમો, કોન્સ્ટેબલ દુલ્ગો માંડવી, કોન્સ્ટેબલ લખમુ મરકમ, કોન્સ્ટેબલ જાેગા કવાસી, કોન્સ્ટેબલ હરિરામ માંડવી, સૈનિક રામ કરતમ, સૈનિક જયરામ કાડ્વા, સૈનિક જયરામ કાદવાસી છે. . જ્યારે ખાનગી ડ્રાઈવર ધનીરામ યાદવ જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ મોટો સવાલ એ પણ છે કે ૫૦ કિલો ૈંઈડ્ઢ ક્યાંથી આવ્યું? એટલું જ નહીં વાહનના સ્પેર પાર્ટસ પણ ગાયબ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું છે કે, નક્સલવાદીઓને કોઈપણ સંજાેગોમાં બક્ષવામાં આવશે નહીં અને નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. તેણે કહ્યું કે, ‘અમને આ માહિતી મળી છે અને તે દુઃખદ છે. શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. આ લડાઈ છેલ્લા તબક્કામાં ચાલી રહી છે અને નક્સલવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. અમે આયોજિત રીતે નક્સલવાદને ખતમ કરીશું. ઘટનાની ગંભીરતાને જાેઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન બઘેલ સાથે વાત કરી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદનું વચન આપ્યું છે. દંતેવાડામાં નક્સલી હુમલા બાદ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સંભવિત જાેખમને ધ્યાનમાં રાખીને નક્સલ પ્રભાવિત વિસ્તારના તમામ પોઈન્ટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમામ સરહદી વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઝ્ર-૬૦ કમાન્ડો અને ગઢચિરોલી પોલીસને કોઈપણ ખતરાનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
