National

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી આપ્યું ભડકાઉ ભાષણ

ઇસ્લામાબાદ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના મોટા નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે. આ દરમિયાન દેશને સંબોધિત કરતા ઈમરાન ખાને શાહબાઝ સરકાર અને પાકિસ્તાની સેના પર જાેરદાર પ્રહારો કર્યા છે. દેશને સંબોધતા ઈમરાન ખાને કહ્યું કે, સરકાર અને સેના મળીને અમારા તમામ નેતાઓને જેલમાં પુરી રહી છે. અમારા નેતાઓ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે, જાે કે તેઓ કહે છે કે તહરીક-એ-ઈન્સાફમાં નથી તો તેમને છોડી દેવામાં આવે છે.ઈમરાન ખાને તે અટકળો પર પણ નિશાન સાધ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પીટીઆઈ પર પ્રતિબંધ લગાવી શકાય છે. ઈમરાને કહ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં સુધી જનઆધાર ધરાવે છે, ત્યાં સુધી ખતમ થઈ શકે નહીં. એટલું જ નહીં, ઈમરાને સરકાર અને સેના પર પણ આરોપ લગાવતા કહ્યું કે માનવાધિકારની વાત કોઈ નથી કરતું. લોકો ભય અને નિરાશાથી ભરેલા છે. ઈમરાને કહ્યું કે તેણે પોતે જ પોતાના સમર્થકોને ઘરની અંદર રહેવા માટે કહ્યું છે.પોતાની વાતનો પુનરોચ્ચાર કરતા ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ જાણે છે કે આ મુશ્કેલ સમય છે, પરંતુ આ સમય ધીરજ રાખવાનો છે. તેમનું મંત્રીમંડળ મહેનત કરીને બેઠકમાં આવતું હતું. તેમના સંબંધીઓ પર પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં હવે સમય આવી રહ્યો છે, જેમાં જમ્મુ-હરિયતનો અંત આવશે. દેશને આપેલા આ સંબોધનમાં તેમણે જનતાને કહ્યું કે આજે મુસીબત તેમના પર છે, આવતીકાલે તે કોઈપણ પર આવી શકે છે.દેશના લોકોને ઉશ્કેરનારા ભાષણમાં ઈમરાન ખાને કહ્યું કે દેશના લોકોને જંગલના કાયદા પ્રમાણે જીવવા માટે મજબૂર કરવામાં આવશે. દરેક વ્યક્તિ ગુલામીમાં જીવશે. આ દરમિયાન તેમણે સ્વતંત્રતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે વ્યક્તિની અંદર આઝાદીનો વિચાર આવે છે ત્યારે તે પોતાનું પગલું પાછું લેતો નથી. આ ભારતના કાશ્મીરમાં થઈ રહ્યું છે. ત્યાં કાશ્મીરીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. ત્યાં પણ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આવું પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. વોટ બેંક બની રહી છે, લોકો પાર્ટી છોડી રહ્યા છે.ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેઓ તેમની પાર્ટીમાંથી જેને ટિકિટ આપશે તે જ ચૂંટણી જીતશે. તેમણે એમ પણ કહ્યું કે તેમની પાર્ટી સમાપ્ત થશે નહીં કારણ કે જ્યારે રાજકીય પક્ષનો જન આધાર સમાપ્ત થાય છે ત્યારે તેનો અંત આવે છે. તેમણે કહ્યું કે ૯ લાખ પ્રોફેસરો પાકિસ્તાન છોડી ગયા છે, જેના કારણે નુકસાન થયું છે. તેમણે એમ પણ કહ્યું કે જાે વર્તમાન સરકાર બધુ ઠીક કરે અને સરકાર સારી રીતે ચલાવે તો તેઓ બધુ છોડવા તૈયાર છે.

Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *