અંબાણી પરિવારના દરેક સભ્ય અનંત-રાધિકાની મેગા ઈવેન્ટને ભવ્ય બનાવવામાં વ્યસ્ત છે. છેલ્લા ઘણા મહિનાઓથી લગ્નના કાર્યક્રમો ચાલી રહ્યા છે. લગ્નની વિધિ મામેરુથી શરૂ થઈ હતી અને ત્યારબાદ સંગીત અને હલ્દી સમારોહ યોજાયો હતો.
સોમવારે જ હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સ જાેવા મળ્યા હતા. જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, સલમાન ખાન, રણવીર સિંહ જેવા ઘણા સ્ટાર્સે આ ઇવેન્ટમાં હાજરી આપી અને તેને ખાસ બનાવી. હલ્દી સેરેમનીમાં બધા જ પીળા રંગમાં રંગાયેલા જાેવા મળ્યા હતા. આ સ્ટાર્સે માત્ર પીળા આઉટફિટ જ નહીં પહેર્યા પરંતુ પીઠીમાં નહાતા પણ જાેવા મળ્યા. ઝલક પણ સામે આવી છે અને સોશિયલ મીડિયા પર યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જાેઈ શકો છો કે રણવીર સિંહ માથાથી પગ સુધી પીળા રંગમાં રંગાયેલો જાેવા મળે છે. તે આખે આખો પીઠીથી નહાતો જાેવા મળ્યો હતો. તેનો ચહેરો પણ પીળો થઈ ગયો છે. તે એન્ટિલિયાની બહાર ઇવેન્ટમાંથી બહાર નીકળતો જાેઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે, અંબાણી આવાસ એન્ટિલિયામાં જ આ ગ્રાન્ડ પીઠી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સલમાન ખાન પણ પીઠીની વિધિ બાદ પોશાક બદલાયેલો જાેવા મળ્યો હતો. સલમાન ખાન બ્લેક કુર્તામાં પહોંચ્યો હતો અને જ્યારે તે ત્યાંથી પાછો ફર્યો ત્યારે તે પીળા કુર્તામાં જાેવા મળ્યો હતો. તે ભીનો પણ દેખાતો હતો.
આ સિવાય અંબાણી પરિવારના સભ્યો પણ હળદરના પીળા રંગમાં રંગાયેલા જાેવા મળ્યા હતા. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી પણ એન્ટિલિયાની બહાર જતા જાેવા મળ્યા હતા. તેઓ પીળા રંગમાં રંગાયેલા જાેવા મળ્યા હતા. અનિલ કપૂર સફેદ કુર્તા-પાયજામામાં હતો, તેના ચહેરા અને કપડાં પર પીઠી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ટીના અંબાણી પણ પીળા રંગના આઉટફિટમાં હતી અને તેના ચહેરા પર ઘણી પીઠી લગાવેલી હતી.
તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ૧૨મી જુલાઈ ૨૦૨૪ના રોજ મુંબઈના ત્ર્નૈ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થશે. લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલશે. સાત ફેરા બાદ પણ ૧૩ જુલાઈ અને ૧૪ જુલાઈએ લગ્નની ઘણી વિધિઓ રાખવામાં આવી છે. આ ઈવેન્ટમાં બોલિવૂડથી લઈને હોલીવુડના સ્ટાર્સ ઉપરાંત દેશ અને દુનિયાના ઘણા પ્રખ્યાત લોકો પણ ભાગ લેશે. જેની ઝલક સોશિયલ મીડિયા પર લાંબા સમય સુધી જાેવા મળશે.