Gujarat

સાવરકુંડલા શહેરના હજારો લોકોને લાભકર્તા.. પશ્ર્ચિમ રેલવે ભાવનગર દ્વારા સાવરકુંડલા રેલવે સ્ટેશન પર પગદંડી પુલ બનશે. પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ. 

સાવર કુંડલા શહેરના હજારો લોકોને લાભ કરતો નિર્ણય પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર વિભાગનો અરવિંદ મેવાડા પૂર્વ પ્રમુખ શહેર યુવા ભાજપ સાવરકુંડલાની માંગણી હતી. રેલ્વે સ્ટેશન ઉપર (પગદંડી) પુલ બનાવવા માંગણી હતી.આજે આ પગદંડી પુલ કામગીરી શરૂઆત થતા સ્થળ ઉપર જઈ સાવર કુંડલા હજારો લોકો અને લલ્લુબાપા હોસ્પિટલ આવતા દર્દી નારાયણ અને ખાદી કાર્યાલય  વિસ્તાર,જેસર રોડ,માર્કેટિંગ યાર્ડ,પોલીસ લાઇન,મહુવા રોડ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર આવતા હજારો લોકોને ફાયદો થશે. સમય અને ખર્ચમાથી નાના લોકોને મુક્તિ મળશે.આમ આ  પગદંડી પુલ બનતા ફાયદો થશે. માન.વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેવાડા માણસની સેવા અને સપનાને સાકાર કરતું કાર્ય ભાવનગર રેલ્વે મંડળ કરવા બદલ  પૂર્વ પ્રમુખ શહેર યુવા ભાજપના અરવિંદ મેવાડાએ આ સંદર્ભે આ યોજનાને સાકાર કરવા માટે પ્રયાસ કરનાર તમામનો આભાર માની હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા

IMG-20240110-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *